કોણ સામેલ છે? કાર્યકારી સમિતિઓ


કેન્દ્રીય ભારતીય ભાષા સંસ્થાન (CIIL)

હાલમાં, કેન્દ્રીય ભારતીય ભાષા સંસ્થાન (CIIL) એ એન.ટી.એમ.ની નોડલ એજન્સી અને મુખ્ય સુવિધા પૂરી પાડનાર સંસ્થા છે અને આ મિશન મૈસૂરના સી.આઈ.આઈ.એલ.(CIIL) પરિસરમાંથી અત્યારે કાર્યરત છે. સી.આઈ.આઈ.એલ.(CIIL) ના નિયામક આ મિશનના નોડલ ઓફિસર છે. એવી અપેક્ષા છે કે એન.ટી.એમ. સક્ષમ સતાધિકારીની અનુમતી બાદ એક સ્વતંત્ર–સ્વાયત્ત સંસ્થા બનશે. એન.ટી.એમ. એ સાહિત્ય અકાદમી, નેશનલ બુક ટ્રસ્ટ(NBT), વૈજ્ઞાનિક અને તક્‌નીકી પરિભાષા આયોગ (CSTT) અને સી – ડેક (C-DAC) વગેરે જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહયોગથી કાર્ય કરે છે.

પ્રોજેક્ટ સલાહકાર સમિતિ (PAC) એ એન.ટી.એમ. ના મહત્વપૂર્ણ નિર્ણય લેનારી સર્વોચ્ચ સમિતિ છે. આ સમિતિમાં અનુવાદના શિક્ષણ અને તેના કાર્ય સાથે જોડાયેલા લેખકો; સાહિત્યકારો; સાહિત્ય સંસ્થાઓના અધ્યક્ષો; યુનિવર્સિટીના ઉપ-કુલપતિઓ; પુસ્તક વિક્રેતાઓ તેમજ પ્રકાશક સંઘના સભ્યો; ભારત સરકારના સૂચના અને તકનીકી વિભાગના પ્રતિનિધિઓ, આઈ.આઈ.ટી. જેવી સંસ્થાઓના પ્રાધ્યાપકો વગેરે જેવા 25 જેટલા વિદ્વાનો અને નિષ્ણાતો સામેલ છે

એન.ટી.એમ. ના કાર્યને હાથ ધરવા માટે માર્ગદર્શન અને સલાહ માટે પ્રોજેક્ટ સલાહકાર સમિતિ (PAC) ઉપરાંત, ચાર પેટા સમિતિઓ પણ બનાવવામાં આવી છે.
i. કિંમત નક્કી કરવા માટેની પેટા-સમિતિ
ii. કોપીરાઇટ અને કાયદા વિષયક બાબતો માટેની પેટા-સમિતિ
iii. પાઠ્યપુસ્તકો માટેની પેટા-સમિતિ
iv. અનુદાન માટેની પેટા-સમિતિ
 
પ્રોજેક્ટ સલાહકાર સમિતિ (એન.ટી.એમ.-પી.એ.સી.)
નોડલ અધિકારી: નિયામક, સી.આઈ.આઈ.એલ.
પ્રોજેક્ટ નિયામક
એન.ટી.એમ. માટે મંજૂર કરવામાં આવેલ જગ્યાઓ : 65
સહાયક કર્મચારીઓ